ભારતીય સંસ્કૃતિ ની ભવ્યતા વિષે વાતો કરીએ તેટલી ઓછી છે. તેની ભવ્યતા ના વખાણ કરતા દેવતાઓ પણ થાકતા નથી. કારણ કે ભારતીય ભૂમિ એટલે દેવતાઓની ભૂમિ. અહીં જ રામ અને કૃષ્ણ જેવા દેવતાઓ એ જન્મ લીધો. ગંગા જેવી પવિત્ર નદી પણ અહીં જ્ છે. જેનું ઉદ્ગમસ્થાન એટલે ભગવાન શંકરની જટા . તેનો મતલબ એક જ કે ભગવાન શંકર નો પણ અહીં વાસ છે. અને ખરેખર …. કૈલાસ પર્વત કે જે હાલમાં ચીનમાં છે ત્યાં ભગવાન શંકરનો વાસ છે. વેદો અને પૂરાનોમાં ઉલ્લેખ છે તે માનસરોવર પણ અહીં અસ્તિત્વ ધરાવે છે. ભારતવર્ષ…..નામથી ઓળખાતું ત્યારનું ભારત છેક આફ્ઘાનીસ્તાન સુધી વિસ્તરેલું હતું તેમ કહેવાય છે. ભારતવર્ષ પર કબજો જમાવવા માટે થયેલું સૌથી ભીષણ યુદ્ધ એટલે મહાભારત. કહેવાય છે કે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ ના મૂળમાં આ રાજ્ય હતું. આ અગાઉ પણ ભારતવર્ષ રામાયણ નું યુદ્ધ જોઈ ચૂક્યું હતું.
ભારતવર્ષ પર કબજો જમાવવા માટે મોટા મોટા શાસકો આવી ગયા. આખાને આખા વંશો તેના પર કબજો જમાવવાના સ્વપ્ના સાથે આવ્યા અને ઘણા ટકી ગયા તો ઘણા ખલાસ થઇ ગયા. ..
આવા ભારતવર્ષ પર બહારના રાજ્યના રાજાઓએ આક્રમણ પણ કર્યું અંતે તેને ઘણીવાર લૂટ્યું પણ ખરું. પરંતુ ભારતવર્ષ અનેક ભાગલા પાડવા છતાં અને અનેકવાર લુટવા છતાં.. એમનું એમ અડીખમ ઉભું જ્ છે. ..અરે અંગ્રેજો પણ આવીને ભારતને લુંટી ગયા તેમને ભારતની ફરી જરૂર પડી છે .. આપણને નહિ. હજી દુરની ક્યાં વાત કરો છો? થોડા સમય પહેલા જ અમેરિકાએ તેની દાદાગીરી જમાવવા ભારત પર આર્થિક પ્રતિબંધો લાદી દીધા હતા. પરંતુ ભારતને કઈ ના થયું. ઉલટાનું તેમને તેમની જાતે જ પ્રતિબંધો હટાવી લીધા. કારણકે તેમને આપના બજારોની જરૂર હતી. આમ આપના દેશે આખી દુનિયા પર લૂટાવ્યા જ કર્યું છે. અને હજી આપવાની તાકાત ધરાવે છે.
ભારતને સૌથી વધારે મોગલોના શાસન માં લુંટવામાં આવ્યું.મહંમદ ગઝનવી ભારતને ૧૭ વાર લુંટી ગયો. તેને ફરી ને ફરી આવવાની જરૂર પડી . આપની નજીક આવેલ ગલતેશ્વર ખાતે તેને પોતાની સ્મૃતિ છોડી છે. કારણકે મોગલોના સમયમાં આપના મંદિરોને સૌથી વધારે ટાર્ગેટ કરવામાં આવતા. ગલતેશ્વર મંદિર નું શિખર હજી પણ તૂટેલું જ્ છે. મોગલોના આ ત્રાસથી બચવા પછીથી મંદિરોનો દેખાવ મસ્જીદ જેવો લાગે તેવો કરવામાં આવ્યો. જેમ કે ડાકોરનું શ્રી રણછોડરાયજી નું મંદિર. મહંમદ બેગડો તે મંદિર ને લુંટવા આવ્યો હતો. તેનો દરવાજો બંદ હતો અને તેને તે મંદિરનો દેખાવ મસ્જીદ જેવો લાગ્યો એટલે તે મંદિરના દરવાજે થોડી ભેટ મુકીને ચાલતો થયો. તે પૈસામાંથી હજી પણ સવારે ઠાકોરજી નો ભોગ લાગે છે. અને પ્રસાદ ગાયોને ખવડાવી દેવામાં આવે છે.
આટલી ભૂમિકા બાંધવાનું કારણ એટલું જ છે કે મોગલોએ ભારત પર લાંબા સમય સુધી શાસન કર્યું . અને ઘણા સ્થાપત્યો પણ નિર્માણ કર્યા. તેમાનો યાદગાર અને ગૌરવ સમો પ્રતીકરૂપ તાજમહાલ ……… જે દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન પામે છે. તેના વિષે ઘણા વિવાદો છે. . અને આ વિવાદો હજી પણ વણઉકેલ્યા જ છે.
આ તાજમહાલ વિષે બી.બી.સી.દ્વારા રજુ કરવામાં આવેલ સર્વે અને અહેવાલ નીચે પ્રમાણે છે…………………..જે સચિત્ર રજુ કરેલ છે….
बी.बी..सी. कहता है………..
ताजमहल…………
एक छुपा हुआ सत्य……….
कभी मत कहो कि………
यह एक मकबरा है
……….
આપ આપનો વોટ જરૂર આપશો
… તાજમહેલ અંગે આ જાણકારી ખબર હતી અને મને જે સ્ત્રોત દ્વારા જાણકારી મળી હતી તે મુજબ આ તાજમહેલનું બાધકામ શંકરભગવાનના કોઈ ભક્તે કર્યું હોય તેમ લાગતું હતું તમે પણ ચીત્રમાં ઓમ શબ્દનો ઉલ્લ્ખેખ કર્યો જ છે, બીજૂ ડાકોર રણછોડરાયજી મંદિર અંગે જે વાત તમે ઉજાગર કરી છે તે જાણી આશ્ર્ર્ય થયું જાણકારી બદલ આભાર….મહંમદ બેગડા એ મુકેલ ભેટમાંથી હાલમાં પણ ભોગ ધરાવાય છે તે જાણી ખુ..બ અચરજ થાય છે આ અંગે વધુ માહિતી હોય તો તે મુદ્દા ઉપર અલગથી વિસ્તૃત લખશો.
It’s very strange.i am totally unknown about this secreat.you done great work please continue.My Best wishes with you
Gaumit patel
Panchot,Mehsana(Gujarat)